અંજાર: વીજ સમસ્યા મુદ્દે વીજ વિભાગીય કચેરીએ વેપારીઓની ઉગ્ર રજૂઆત #Jansamasya
Anjar, Kutch | Jun 16, 2026 અંજાર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા વેપાર-ધંધાને અસર પહોંચતી હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં વેપારીઓએ વીજ વિભાગની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. મંગળવારે સવારના અરસામાં વેપારીઓ રામધૂન બોલાવતા કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સમક્ષ વીજ પુરવઠાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી.