ગાંધીધામ: મનપા દ્વારા ટાગોર રોડ પર ગંદકી ફેલાવનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાઈ
ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર બીડી દવેરા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ગંદકી કરનારા તત્વો સામે આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ગતરોજ બેન્કિંગ સર્કલની બાજુમાં, વ્યસ્ત એવા ટાગોર રોડ ઉપર જાહેર માર્ગ પર કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને ગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.