અંજાર: માલાશેરીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી
Anjar, Kutch | May 25, 2026 અંજારના માલાશેરી વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં આજરોજ વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.