ગાંધીધામ: ભાજપના યુવા નેતાનાં આત્મહત્યાનાં પ્રકરણમાં બ્રહ્મ સમાજ દ્વારા SP કચેરી ખાતે આવેદન પત્ર
કચ્છના ગાંધીધામમાં ભાજપના યુવા નેતા અને શહેર મંત્રી દિપેશ ત્રિપાઠી દ્વારા આત્મહત્યા કરાયાના મામલામાં બ્રહ્મ સમાજ દ્વારા એસ.પી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ.હસ્તાક્ષરનો રિપોર્ટ વહેલો આપો. તેમ સ્વ.દીપેશ ત્રિપાઠીની પત્નીની પોલીસ સમક્ષ માંગ ઉઠી છે.ગાંધીધામના આદિપુર વિસ્તારમાં રહેતી દીપાબેન દીપેશ ત્રિપાઠીએ પોતાના પતિના આપઘાત કેસમાં એફ એસ એલ રિપોર્ટ વહેલી તકે જાહેર કરવા પૂર્વ કચ્છ એસપી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.