આજે તારીખ 3 ફેબ્રુઆરી સવારે સાડા નવ કલાકે વલ્લભીપુર - અમરેલી હાઇવે ઉમરાળા ગામ માંથી પસાર થાય છે , આ હાઇવે પર પસાર થતા વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે જેના કારણે સ્થાનિક લોકોમાં અકસ્માત નો ભય રહે છે , તંત્ર દ્વારા હાઇવે રોડ પર સ્પીડ બ્રેકેર મૂકવામાં આવે જેથી સ્થાનિક લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.