સુરત શહેરના પટની હોલ ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર રમઝાન માસ તેમજ મહાશિવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સોહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ હિંદુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બંને સમાજના પ્રતિનિધિઓએ એકસાથે બેસીને તહેવારો દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે.