ગાંધીધામ: મનપાએ લોકોનો અભિપ્રાય માંગ્યો ;QR કોડ સ્કેન કરી સ્વચ્છ ગાંધીધામ બનાવવાના અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને 'સ્વચ્છતા સર્વેક્ષણ' માં ઉચ્ચ ક્રમાંક અપાવવા માટે નાગરિકોના પ્રતિસાદની માંગ કરવામાં આવી છે.પાલિકા દ્વારા કરવામાં આવતી ડોર-ટુ- ડોર કચરા કલેક્શન, સફાઈ કામગીરી અને જાહેર સ્વચ્છતા જેવી સુવિધાઓ અંગે નાગરિકો સ્વચ્છતા સર્વેક્ષણ પોર્ટલ પર જઈ પોતાનો સકારાત્મક પ્રતિસાદ આપી શકે છે.