ગાંધીધામ: લેન્સકાર્ટ શોરૂમની હિન્દુ વિરોધી નીતિ સામે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાનો વિરોધ
ગાંધીધામ ખાતે લેન્સકાર્ટ શોરૂમના માલિક દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક કરવા અને હાથમાં કલાવો બાંધવા પર પ્રતિબંધ મૂકતી પોલિસીનો વિવાદ વકર્યો છે.સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના કાર્યકરોએ શોરૂમ પર પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.સંગઠનનો આક્ષેપ છે કે એકતરફી પોલિસી લાદીને હિન્દુ ધર્મની લાગણી દુભાવવામાં આવી રહી છે.રાજભા ગઢવી અને કિરણભાઈ પ્રજાપતિની આગેવાનીમાં હિન્દુ ગ્રાહકોને આવા શોરૂમનો બહિષ્કાર કરવા અપીલ કરવામાં આવી હતી.