અંજાર: વરસામેડી વિસ્તારમાં આવેલ કંડલા એરપોર્ટ પર સન્નાટો,હવાઈ મુસાફરોને હવે ભુજનો ધક્કો થશે
Anjar, Kutch | Apr 24, 2026 પૂર્વ કચ્છના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે કરોડરજ્જુ સમાન કંડલા એરપોર્ટ પરથી કાર્યરત એકમાત્ર કંડલા-મુંબઈ હવાઈ સેવા પણ એરલાઇન્સ કંપની દ્વારા બંધ કરી દેવાઇ છે. દેશના વિવિધ પ્રાંતો સાથે હવાઈ જોડાણની માગણીઓ વચ્ચે ચાલુ સેવા પણ બંધ થતાં આ વિસ્તારના ઉદ્યોગપતિઓ, શિપિંગ એજન્ટો અને સામાન્ય મુસાફરોમાં નિરાશા ફેલાઈ છે. વેકેશનના કારણે દિલ્હી કે મુંબઈ જવા ટ્રેનમાં જલ્દી ટીકીટ મળતી નથી તેમજ મુન્દ્રા એરપોર્ટ શરૂ થયું નથી તેમાં પણ વિલંબ સર્જાયો છે.