વલ્લભીપુર: વલ્લભીપુરમાં ‘પ્રતિનિધિરાજ’ સામે ભડકો: જિલ્લા ભાજપ મંત્રીએ આપી પ્રતિક્રિયા
આજે તારીખ 28 મે બપોરે 3:30 વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપનું એકચક્રી શાસન હોવા છતાં આંતરિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પાલિકાની કુલ ૨૪ બેઠકોમાંથી ૨૨ બેઠકો ભાજપના કાઉન્સિલરો પાસે હોવા છતાં સત્તાના સંચાલનમાં ગંભીર મતભેદો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે જિલ્લા ભાજપના મંત્રી નીતિનભાઈ ભોરણીયાએ જ પોતાની જ પાર્ટીની ‘પ્રતિનિધિરાજ’ના મુદ્દે જાહેરમાં આક્ષેપો કર્યા છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા અને હલચલ મચી છે.