ગાંધીધામ: સુંદરપુરી નજીક નવા રોડમાં ભુવો પડી જતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો, જાણો ડેપ્યુટી કમિશનરની સ્પષ્ટતા—
ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં આવેલ નવા બનેલા રામબાગ રોડમાં અચાનક ભૂવો પડી જતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો, ઘટના બાદ સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.આ મામલે મનપાના ડેપ્યુટી કમિશનર મેહુલભાઈ દેસાઈએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે ઘટનાની તપાસમાં કામ અધૂરું છે અને આ ઉપરાંત બાજુમાં તાજેતરમાં પાણીની લાઈનનું કામ થવાના કારણે ભૂવો પડ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.