ગાંધીધામ: ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે મતદાન માટે કરી અપીલ
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી શહેર તેમજ તાલુકાની જાહેર જનતાને લોકશાહીના પર્વ સમાન મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિકનો મત લોકશાહીને મજબૂત બનાવે છે. વધુમાં તેમણે લોકોને શાંતિપૂર્ણ વાતાવરણમાં વધુમાં વધુ મતદાન કરવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો.