પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે દેશભરના શેરી ફેરિયાઓ માટે મહત્વપૂર્ણ એવી પી.એમ. સ્વનિધિ યોજનાનો લાભ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. યોજનાના અંતર્ગત એક લાખથી વધુ લાભાર્થીઓને ચેક તેમજ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ કેરળના તિરુઅનંતપુરમથી લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરની નગરપાલિકાઓ જોડાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત કેશોદ નગરપાલિકામાં પણ શેરી ફેરિયાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે.