અંજાર: ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા અંજાર બસ સ્ટેશન પરિસરમાં નિઃશુલ્ક છાસ વિતરણ સેવાનો આરંભ
Anjar, Kutch | Apr 22, 2026 ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ ભારત વિકાસ પરિષદ અંજાર દ્વારા અંજાર બસ સ્ટેશન પરિસરમાં નિઃશુલ્ક છાસ વિતરણ સેવા શરૂ કરવામાં આવી છે.આ છાસ કેન્દ્રની શરૂઆત અંજાર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવી હતી, જેમાં શાખાના બહોળા સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ સેવામાં અંજાર ST ડેપો મેનેજર એચ.આર .શામળા તથા તેમના સ્ટાફ નો સહયોગ રહ્યો હતો.આ સેવા દરરોજ બપોરે 12:00 વાગ્યાથી શરૂ રહેશે