નેપાળ-ચીન સરહદે વિનાશક પૂર બાદ સુરતના પટેલ દંપતી સહિત 3 ગુજરાતી યાત્રાળુઓ ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. માનસરોવર યાત્રા દરમિયાન પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રામાણીનો 26 ઓગસ્ટે પૂર બાદ સંપર્ક તૂટી ગયો હતો. ફ્રેન્ડશિપ બ્રિજ પર પડાવેલો ફોટો ત્રણેયનું અંતિમ જાણીતું નિશાન બન્યો છે. ફોટો પડાવ્યા બાદ ફ્રેન્ડશિપ બ્રિજ અને ઈમિગ્રેશન વિસ્તાર પૂર અને કાટમાળની ઝપેટમાં આવ્યો હતો. પરેશ પટેલ અને જ્યોતિબેન પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, જ્યારે પરેશ પટેલ 20 ઓગસ્ટે અમેરિકા ખાતેથી અને મીનાક્ષીબેન રામાણી 22 ઓગસ્ટે મુંબઈથી નેપાળ પહોંચ્યા હતા. પરેશ પટેલે માતાને ફોન કરી ઈમિગ્રેશન થઈ ગયું હોવાની જાણ કરી હતી. હાલ નેપાળ-ચીન બોર્ડર પર ઈમિગ્રેશન ઓફિસ અને ફ્રેન્ડશિપ બ્રિજને ભારે નુકસાન થયું છે. ગુજરાતના 24 લોકો ગુમ હોવાની ચિંતા વચ્ચે પરિવારોમાં ચિંતાનો માહોલ છે. મીનાક્ષીબેનના પુત્રએ વિદેશ મંત્રાલયને ઈ-મેલ કરી પાસપોર્ટ, દસ્તા
Udhna, Surat | Aug 28, 2026