ગાંધીધામ: શ્રમિક કલ્યાણ માટે ડીપીએની સંવેદનશીલ પહેલને પોર્ટ વપરાશકારોનો સહયોગ
કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા પોર્ટના વિકાસ સાથે શ્રમિક કલ્યાણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વધતા તાપમાન અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્ટ ખાતે કાર્યરત આશરે ૪૦૦૦ જેટલા શ્રમિકો માટે દરરોજ સવારે ૧૧ વાગ્યે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત બપોર દરમિયાન નાસ્તો અને ચાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સાથે રાત્રિ દરમિયાન કાર્યરત આશરે ૧૦૦૦ જેટલા શ્રમિકો માટે દરરોજ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.