વલ્લભીપુર: વલભીપુરના વાવડી ગામે 5.87 લાખના દાગીનાની ચોરી
ગત તારીખ 25 મે ના રોજ મોડી સાંજે વલભીપુર પોલીસ સ્ટેશન માં નોંધાવેલ ફરિયાદ મુજબ વાવડી ગામે રહેતા અમરશીભાઈ બગડીયા ના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા , અને સોના ચાંદીના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા , પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા , પંથકમાં ચોરીનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.