ગાંધીધામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શારીરિક અસ્વસ્થ મતદારો માટે એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ કરાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન શારીરિક રીતે અસ્વસ્થ મતદારોને મતદાન મથક સુધી સરળતાથી પહોંચાડવા માટે કર્તવ્ય ટીમ અને એમ્બ્યુલન્સ કચ્છ દ્વારા વિશેષ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સુવિધાના કારણે મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવામાં સહેલાઈ મળી. મતદાન પ્રક્રિયા સૌ માટે સુલભ અને સુવ્યવસ્થિત બને તે માટે આ માનવતાભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને સરાહનીય ગણાવી હતી.