ગાંધીધામ: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન યાત્રા નીકળી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ઓસ્લો ખાતેથી ગાંધી માર્કેટ સુધી આમ આદમી પાર્ટી દ્વારા ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.