લખપતની જનતાનો વિજય: કલેક્ટરનો આભાર લખપત તાલુકામાં નમક પરિવહન અંગેનું જાહેરનામું રદ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જનતાના હિતમાં નિર્ણય લઈ નુકસાનીથી બચાવવા બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, વહીવટી તંત્ર, પોલીસ અને પત્રકારોનો આભાર માનવામાં આવ્યો હતો. એકતા અને સંપથી લડત લડનાર લખપતની જનતા અને આગેવાનોએ આ વિજયને વધાવ્યો છે.