અંજાર: ગાંધીનગર શાકમાર્કેટમાં શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સાદગી જોવા મળી
Anjar, Kutch | Jul 9, 2026 ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અમદાવાદના ગાંધીનગરના શાકમાર્કેટમાં સામાન્ય નાગરિકની જેમ ખરીદી કરતા જોવા મળ્યા હતા. મંત્રીની આ સાદગી અને જનતા સાથેનું જોડાણ લોકસેવક તરીકેની તેમની કાર્યશૈલીને ઉજાગર કરે છે.સામાન્ય લોકોની પરિસ્થિતિ અને રોજિંદા જીવનને નજીકથી સમજવા માટે લોકપ્રતિનિધિનું જમીન સાથે જોડાયેલું રહેવું જરૂરી હોવાનું આ પ્રસંગે અનુભવાયું હતું.