અંજાર: મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Anjar, Kutch | Jun 18, 2026 કરબલાના અમર શહીદોની યાદમાં ઉજવાતા મોહરમ પર્વ નિમિત્તે તા. 15 જૂનથી 26 જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર હોવાથી પૂર્વ કચ્છના નાયબ કલેક્ટર એસ.જે ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુએ જણાવ્યું હતું કે, મોહરમનો તહેવાર માત્ર એક સમાજનો નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ત્યાગ, બલિદાન અને માનવતાનો સંદેશ આપતો પર્વ છે.