જાંબુઘોડાના ભાણપુરા ગામે તા.8 ફેબ્રુઆરીના રોજ આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમા ગામમા ત્રણ મકાનોમા આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે જાંબુઘોડા ગ્રામ પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ ભાણપુરા ગામે તા.11 ફેબ્રુઆરી બુધવારના રોજ પહોંચ્યા હતા અને મકાન માલીકોને રૂબરૂ મુલાકાત લઈ જરુરી ચીજવસ્તુ કીટ આપી ત્રણે ઘર માલીકોને સાંત્વના આપી હતી