અંજાર: શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સરસ્વતી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન તથા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | May 29, 2026 શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના પટાંગણ ખાતે “સરસ્વતી સન્માન, કારકિર્દી માર્ગદર્શન અને નોટબુક વિતરણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧૦થી લઈ અનુસ્નાતક સુધી ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.