ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનિષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ દ્વારા ચાર સો ક્વાર્ટર વેજીટેબલ માર્કેટ ગાંધીધામની મુલાકાત લઈ સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ગાયત્રી પ્રસાદ જોશી અને સફાઈ વિભાગની ટીમ સાથે તેમણે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. માર્કેટની સ્વચ્છતા જાળવવા માટેની કામગીરીની વિઝીટ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.