અંજાર: રતનાલ નજીક ત્રણ લોકોના મૃત્યુથી હાઇવે ચક્કાજામ કરાયો
Anjar, Kutch | May 19, 2026 અંજારના રતનાલ પાસે 24 કલાકમાં સર્જાયેલા જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજતાં ગ્રામજનોએ નેશનલ હાઇવે ચક્કાજામ કરાયો હતો. આશરે 1100 કરોડના તોતિંગ ખર્ચે બનેલો આ રોડ શરૂઆતથી જ અત્યંત ખરાબ હાલતમાં હોવા છતાં કંપની દ્વારા માત્ર ટોલ ઉઘરાવવા પર જ ધ્યાન આપવામાં આવતું હોવાના આક્ષેપો સાથે લોકોમાં ભારે આક્રોશ છે. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ હાઇવે પર સુરક્ષિત ક્રોસિંગ, ડિવાઇડર,સફેદ પટ્ટા અને સ્ટ્રીટ લાઇટો જેવી સલામતી સુવિધાઓ ઊભી કરવાની ઉગ્ર માગ કરી