ગત તારીખ 8 ફેબ્રુઆરી રાત્રીના 11 કલાકે લાઠી થી અમદાવાદ જાન પરત લઈ જતા જાનૈયાઓએ ખોડીયાર નાસ્તા હાઉસમાં બબાલ કરી હતી ઉશ્કેરાયેલા જાનૈયા ના ટોળાએ હાઇવે રોડ બાનમાં લીધો હતો, સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો,આ મારામારીમા એક મહિલા અને પુરુષ ઈજાગ્રસ્ત થયા હતા ,ઈજાગ્રસ્તોને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. પોલીસે હાઇવે પરનું ટ્રાફિક ક્લીઅર કરાવ્યું હતું.