ગાંધીધામ: ટાગોર રોડ પર મનપાના ટ્રેક્ટરમાંથી કચરો વિખેરાતા નાગરિકોની તંત્રને યોગ્ય કાર્યવાહી માટે માંગ : વિડીયો વાયરલ #Jansamasya
ગાંધીધામના ટાગોર રોડ વિસ્તારમાં મહાનગરપાલિકાના કચરા પરિવહન માટે ઉપયોગમાં લેવાતા એક ટ્રેક્ટર માંથી કચરા સાથે કેટલીક ખાલી બોટલો રસ્તા પર પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ચર્ચા જાગી હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર કચરાનું પરિવહન કરતી વખતે વધુ સાવચેતી રાખવામાં આવે તો આવી ઘટનાઓ ટાળી શકાય. રસ્તા પર પડેલા કચરાને કારણે વાહનચાલકોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.