શારદાગ્રામના જ્ઞાનવૃક્ષનો એક અમર પર્વ: પ્રોફેસર પ્રશાંત ચાહવાલા સરનો વિદાય સન્માન સમારંભ શારદાગ્રામ, માંગરોળ માંગરોળની ઐતિહાસિક અને શૈક્ષણિક વિરાસત સમાન શ્રી શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. સતત ૩૮ વર્ષ સુધી જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત રાખનાર અને હજારો વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન પામનાર પ્રોફેસર પ્રશાંત ચાહવાલા સરનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજ પરિવાર તેમજ મહાલક્ષ્મી ગ્રુપ દ્વારા સરનું