ખંભાત: ખંભાતમાં રવિવારે 10મી મેના રોજ સવારે 6થી બપોર 12 કલાક સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની પેટલાદ વિભાગીય કચેરી દ્વારા વીજ લાઇનના જરૂરી સમારકામ માટે વીજ પ્રવાહ બંધ રાખવાની નોટીસ જાહેર કરવામાં આવી છે. આ સમારકામ 66 કે.વી. કેમ્બે એસએસ સબ સ્ટેશન ખાતે કરવામાં આવશે.સમારકામની કામગીરીને કારણે જુદા જુદા ફીડરો પરથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને અસર થશે.આ સમારકામ દરમિયાન અતિભારે, ભારે, હળવા, ખેતીવિષયક અને અન્ય તમામ પ્રકારના ગ્રાહકોનો વીજ પુરવઠો બંધ રહેશે.