ગાંધીધામ: ઓમ શિવ મંડળી દ્વારા આદિપુરમાં શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન
અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ઓમ શિવ મંડળી, આદિપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું તા. 07 જૂન, 2026ના રોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનનો પ્રારંભ તા. 01 જૂન, 2026ના રોજ થયો હતો અને સાત દિવસ સુધી ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત કથાનો લાભ લીધો હતો.