ખંભાત: મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત કચેરી અને શહેર પોલીસ મથકે આવેદનપત્ર, ધાર્મિક લાગણી દુભાવનાર સામે કાર્યવાહીની માંગ
Khambhat, Anand | Jun 30, 2026 ખંભાત ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર અને ખંભાત શહેર પોલીસ મથક ખાતે એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં ઈન્સ્ટાગ્રામ પર પ્રસારિત એક વિડિયો/પોડકાસ્ટના માધ્યમથી ઇસ્લામ ધર્મના પયગંબર મુહમ્મદ અને ઉમ્મુલ મોમિનીન હઝરત આયેશા વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.પશ્ચિમ બંગાળના કોલકાતાના રહેવાસી નાઝીયા ઇલાહી ખાને ઇસ્લામી વ્યક્તિત્વો વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી છે.