વલસાડના રેલવે સ્ટેશન પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલક પર પાવડાના દંડાથી હુમલો કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
વલસાડ રેલવે સ્ટેશન નજીક જૂની અદાવતને લઈને એક રીક્ષા ચાલક પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા રીક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા રોડ સ્થિત મુસ્તાક નગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય સુલતાન ઇકબાલ ભુરીયા વલસાડ રેલવે સ્ટેશન પરથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે..ઘટનાના દિવસે તેઓ શિવનેરી ચાહવાળા પાસે પોતાની રીક્ષા લઈને કર્ણાવતી એક્સપ્રેસના મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના સગા સંબંધીઓ સઈદ ઉર્ફે છન્નુ હુસૈન ભુરીયા, અર્શદ ઉર્ફે નવ્વાણુ સઈદ હુસૈન ભુરીયા અને સુફિયાન સઈદ હુસૈન ભુરીયા ત્યાં પહોંચ્યા હતા.
આરોપીઓએ જૂની અદાવતને લઈને રીક્ષા ચાલક સાથે બોલાચાલી બાદ હુમલો કર્યો �
Valsad, Valsad | Jun 20, 2026