હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં રવિવારની રજાના દિવસે ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારની સાપ્તાહિક રજાના પગલે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. રજાનો માહોલ હોવાથી વહેલી સવારથી જ મંદિર પરિસર અને તળેટી ભક્તોની ભીડથી ઉભરાઈ ગયા હતા .માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પાડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા હતા.