રાપર: રાપરના ખાંડેક ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના અપમાનથી રોષ: અસામાજિક તત્વોનો અપશબ્દો લખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ
Rapar, Kutch | Apr 14, 2026 આજે સમગ્ર દેશ જ્યારે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાપર તાલુકાના ખાંડેક ગામમાં અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અહીં અજાણ્યા શખ્સો દ્વારા જાહેર સ્થળો પર બાબાસાહેબ વિશે અપમાનજનક અપશબ્દો લખવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.