હાલોલ: ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાતા સર્જાયો અક્સ્માત,મુસાફરો થયા ઘાયલ
ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અક્સ્માતમાં મુસાફરો સહિત છકડા ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા