શહેરા: PM મોદીની અપીલના સમર્થનમાં જેઠાભાઈ ભરવાડની પહેલ,ડેરીના કર્મચારીઓને EV માટે ૮૫% લોનની જાહેરાત કરી
પંચમહાલ ડેરીના કર્મચારીઓ અને ડેરી સાથે સંકળાયેલા તમામ વેન્ડરો માટે ઈ-વાહન ખરીદવા માટે પી.ડી.સી. બેંકમાંથી સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવાની અને જે તે વાહનની કિંમતના ૮૫% સુધી લોન આપવાની જાહેરાત કરી છે. ડેરીમાં કામ કરતા કર્મચારીઓને ઈ-વાહનના ઉપયોગ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ચેરમેન દ્વારા આ જાહેરાત કરાઈ છે.