મહાશિવરાત્રિના પાવન અવસરે બ્રહ્માકુમારીઝ–માળીયા હાટીના દ્વારા આયોજિત 90મી ત્રિમૂર્તિ શિવજયંતી મહોત્સવ અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં શહેરના અનેક ગણમાન્ય નાગરિકો, આત્મિક ભાઈ-બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આધ્યાત્મિક લાભ મેળવ્યો.