શહેરા: શહેરા વનવિભાગ દ્વારા શહેરા નગર અને તાલુકામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
અત્યારના સમયમાં વૃક્ષોનું પ્રમાણ ઘટવાને કારણે અને દિવસે ને દિવસે વૃક્ષોનું નિકંદન વધવાને કારણે પર્યાવરણને તેની અસર થઈ રહી છે,ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા નોર્મલ રેન્જ અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે શહેરા નગરમાં આવેલ મુખ્ય તળાવ અને સલામપુર ગામે આવેલ રાષ્ટ્રીય વન ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,આ ઉપરાંત મરડેશ્વર, વાંટાવછોડા, દલવાડા સહિત વિવિધ સ્થળોએ પણ વૃક્ષારોપણ કરાયું હતું.