હાલોલ: પાવાગઢ મહાકાળી મંદિરે પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય સ્વાગત,મહાઆરતી સાથે ઉજવાયા સુશાસનના 12 વર્ષ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા તા.10 જૂન બુધવારના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના ધામે પહોંચી હતી.આ પ્રસંગે મહાકાળી માતાજીની ભવ્ય મહા આરતી તેમજ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામા આવ્યુ હતું. મંદિર પરિસરમા મહાકાળી માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતુ.મોટી સંખ્યામા દર્શનાર્થે આવેલા ભક્તોએ મહા આરતીનો લાભ લીધો હતો