ઝીંઝુડા ગામ ના સરપંચશ્રી, આગેવાનશ્રીઓ અને ગ્રામજનો દ્વારા પુર સંરક્ષણ દિવાલ બનાવવાની કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને સકારાત્મક રીતે સ્વીકારી રાજ્ય સરકારશ્રીએ રૂપિયા 28 લાખ 35 હજારના ખર્ચે સંરક્ષણ દિવાલના કામને મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ ગુજરાત સરકાર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ સંરક્ષણ દિવાલના નિર્માણથી ગામમાં પુરની પરિસ્થિતિ દરમિયાન થતી નુકસાનીમાં ઘટાડો થશે