મેંદરડા: મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે 28 લાખ 35 હજાર ના ખર્ચે સરક્ષણ દિવાલ મંજુર કરવામાં આવી
ઝીંઝુડા ગામ ના સરપંચશ્રી, આગેવાનશ્રીઓ અને ગ્રામજનો દ્વારા પુર સંરક્ષણ દિવાલ બનાવવાની કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને સકારાત્મક રીતે સ્વીકારી રાજ્ય સરકારશ્રીએ રૂપિયા 28 લાખ 35 હજારના ખર્ચે સંરક્ષણ દિવાલના કામને મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ ગુજરાત સરકાર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ સંરક્ષણ દિવાલના નિર્માણથી ગામમાં પુરની પરિસ્થિતિ દરમિયાન થતી નુકસાનીમાં ઘટાડો થશે