મેંદરડા: જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ
જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત રક્તપિત્ત રોગની નાબૂદી સદર્ભે રેલી, પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃત્તિઓ, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.