આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને બાકી મિલકત વેરો તા.31 માર્ચ પહેલા ભરવા અનુરોધ
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. 31 માર્ચ 2026 ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન દરેક રવિવાર સહિત જાહેર રજા ના દિવસોએ સવારે 11:00 થી બપોર બાદ 16-00 કલાક સુધી તમામ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે.