શહેરા: શહેરાના બોડીદ્રાખુર્દના સરપંચ કમલેશભાઈ ભરવાડે બળિયાદેવ મંદિર માટે ₹71,000 નો સહયોગ આપ્યો હતો
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામના ડોલાના મુવાડા ફળિયામાં રહેતા ભુરાભાઈ સોમાભાઈ ખાંટના ઘરે બની રહેલ બળિયાદેવ મંદિરના બાંધકામ માટે ગામના સરપંચ કમલેશભાઈ ભરવાડ દ્વારા રૂ.51,000 નો સહયોગ આપવામાં આવ્યો હતો,આ સાથે આગળની કામગીરીમાં જરૂર જણાય તો વધુ મદદ કરવાની પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મંદિર માટે રૂ.20,000 નો સહયોગ આપ્યો હતો.