ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાન તથા દાતાઓના સહયોગથી ૬ થી ૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન મહાદેવ સાથે ગણપતિ, હનુમાનજી, નંદીશ્વર, પાર્વતી માતા, તાપી માતા, બલરામજી અને કૃષ્ણજી સહિત વિવિધ દેવતાઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. ભક્તો માટે ૬ અને ૭ માર્ચે સાંજે પ્રસાદ તથા ૮ માર્ચે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સર્વ ભક્તોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.