હાલોલ: હાલોલ બગીચા ખાતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જન કલ્યાણ શિબિર ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 12 વર્ષ વિશ્વાસના,વિકાસના, જનકલ્યાણના પૂર્ણ થવાના અવસરે આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા એક ભવ્ય 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલના સાર્વજનિક બગીચા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.