હાલોલ: પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય,વરસાદની આગાહી ને લઈને 31 જુલાઈ અને 1 ઓગસ્ટે યાત્રા ન કરવા અપીલ કરાઈ
રાજ્યના હવામાન ખાતા વિભાગ દ્વવારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમ્યાન પંચમહાલ તેમજ વડોદરા જિલ્લા માં ભારેમાં અતિ ભારે વરસાદની આગાહી ને લઇ યાત્રાધામ પાવાગઢ મંદિર ના શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ ના અશોકભાઈ પંડયા એ તા.30 જુલાઈ ગુરુવારના રોજ સોશિયલ મીડિયા દ્વારા માઇ ભક્તો ને અપીલ કરવામાં આવી છે.