શહેરા: ડેમલી ગામે મૃત્યુ પામનાર બે વ્યક્તિના પરિવારને સરપંચ પતિ દ્વારા કારજ પાણી માટે રૂ.૫૧૦૦ ની મદદ પુરી પાડવામાં આવી હતી
શહેરા તાલુકાના ડેમલી ગામના આંબાજટી ચોકડી પર રહેતા અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ અને નવામુવાડામાં રહેતા રેવાબેન રતનાભાઈ લગીનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું,જેને લઈને ડેમલી ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ભરવાડના પતિ રાજેશભાઈ એ બંને મૃતકોના ઘરે જઈ તેઓના કારજ પાણી માટે તેમના પરિવારને રૂ.૫૧૦૦-૫૧૦૦ ની મદદ પુરી પાડવામાં આવી હતી.