ઉમરપાડા: ચોખવાડા પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં ૮૨૨ લોકો લાભાન્વિત
વડાપ્રધાનશ્રી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘરબેઠા મળી રહે તે માટે દેશ-રાજ્યવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ’ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચોખવાડા પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પનો કુલ ૮૨૨ લોકોએ લાભ લીધો હતો.