ઉમરપાડા: પાટીદાર ટ્રસ્ટો અને સંચાલકો સામે સુરત જિલ્લા પાટીદાર અગ્રણી કે. કે. પટેલે મોરચો માંડ્યો
Umarpada, Surat | Feb 17, 2026 પાટીદાર અગ્રણી કેકે પટેલે ફરી એકવાર સમાજના ટ્રસ્ટો| અને તેના સંચાલકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ગંભીર| આક્ષેપ કર્યો છે કે સમાજના નામે કાર્યરત સંસ્થાઓમાં અમુક માલેતુજારો માલિકીપણું જમાવી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. આ મામલે તેમણે સરકાર પાસે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.